Posts

આધારકાર્ડ - એક ટ્રાન્સપેરન્ટ વ્યવસ્થા માટેનો વિકલ્પ.

વર્તમાનમાં બેંકમાં આધારકાર્ડ લિંક કરવું એ આર.બી.આઈ. દ્વારા ફરજીયાત કરવામાં આવ્યું. આમતો બેંક તરફ થી ફોન તો ઘણા ટાઈમ પહેલા જ ફોન આવી ગયો હતો, પરંતુ સમયના અભાવે ગઈ કાલે આધાર ઉપડેટ કરવા ગયો હતો.  આધારકાર્ડ એ એક એવી વ્યવસ્થા છે કે જેના દ્વારા વ્યક્તિની મોટાભાગની જાણકારી એક સ્ત્રોતપર સાચવી શકે છે. આધારકાર્ડ ભવિષ્યમાં સરકાર યોજનાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવા જઈ રહ્યું છે. પહેલાના સમયમાં જ્યાં ગરીબ તેમજ માધ્યમ વર્ગના લોકો માટેની યોજનાના લાભ ગેરકાયદેસર ધનિક લોકો મેળવી લેતા હતા તે હવે કરવું ખૂબ અઘરું સાબિત થશે.  આધારકાર્ડ ને બેંક સાથે, મોબાઈલ સાથે, પાનકાર્ડ સાથે અને જમીનના documents સાથે પણ લિંક કરવામાં આવી રહ્યું છે. મારુ તો એવું માનવું છે ભવિષ્યમાં દરેક પુરાવાઓ નીકળી જશે અને માત્ર બે જ પુરાવા રહેશે. એક આધારકાર્ડ - ભારતની જરૂરિયાત માટે અને બીજો પાસપોર્ટ- આંતરરાષ્ટ્રીય પુરાવા માટે. આધારકાર્ડને બેંક સાથે લિંક કરવાનો સીધો મતલબ છે કે આપણી બેંક માં થતા દરેક ટ્રાન્જેકશનસ ની જાણકારી આધારકાર્ડ થી સરકાર જાણી શકે.  આધારકાર્ડને મોબાઈલ સાથે લિંક કરવાનો અર્થ છે કે સરકાર આપણું ...

ચાલ દોસ્ત આજે થોડા તો સ્વાર્થી બની મળીયે....

ચાલ દોસ્ત આજેના દિવસે દોસ્તીની ખાતર કેમ ન હોઈ એક દિવસ થોડા સ્વાર્થી બની મળીયે... નાનપણ માં વિતાવેલી એ અવનવી રમતો ફરી યાદ કરીએ, ફરી નાના થઈએ... ચાલ દોસ્ત આજે થોડા તો સ્વાર્થી બની ...

સંસ્કૃતિનું વૈજ્ઞાનિકરણ...

વિશ્વની 90% શોધ 18 અને ખાસ કરીને 19મી સદીમાં થઇ છે જેનું ઇતિહાસ ગવાહ છે. આ દરેક શોધો મનુષ્યની વધતી જતી બુદ્ધિની સાબિતી છે, વૈશ્વિકરણ અને કોમ્યુનિકેશનના બહોળા વિકાસને કારણે આજે સ...

મારુ બાળપણ, મારા વતનમા.

છેલ્લા કેટલાક દિવસ થી બ્લોગ લખવું લખવું થઇ રહ્યું હતું. પરંતુ વિષય નતો મળી રહ્યો, અને સાચું કહું તો હજુ પણ વિષય નથી મળ્યો. આજે વિચારતો હતો તો સવાલ ઉદ્ભવ્યો, શું કઈ લખવા માટે શીર્ષક હો વું જરૂરી છે? ખેર! વધારે પડતું વિચારવાનું માળિયા પર મૂકીને લખવાનું શરુ કરી દીધું. તો ચાલો આજે મારા આ બ્લોગમાં હું મારા બાળપણ ની યાદો વિષે કંઈક લખું. એક થી પાંચ વર્ષ હું મારા વતનમાં મોટો થયો. વતનમાં મારા "બા, બાપા, ભાભા, ગૌઢામાં, વસંત બેન, છગનદાદા અને મોટાબા" ની છત્ર છાયા માં મોટો થયો. અમારી પેઢીમાં હું સૌથી નાનો એટલે દરેક પરિવાર જનોનો ખુબજ પ્રેમ મળિયો. ધીમે ધીમે ઉમર મોટી થતાની સાથે સાથે મારી મિત્રતા આજુ બાજુમાં રહેતા મિત્રો સાથે થવા લાગી. તેમાં નો મારો એક ખાસ મિત્ર સંદીપ સાથે ત્રણ વીલ વળી સાયકલ ચલાવવાની માજજ કઈ ઔર હતી. એક વાર તો મને ભણવા માટે મારા બાપા મને અમારા ગામ ની શાળામાં મૂકી આવ્યા પછી થવાનું હતું શું રોઈ રોઈ ને આખી સ્કૂલ માથા પર લીધી, મને જાંખું જાંખું યાદ છે, તે વર્ગ ની જગ્યા  હું ત્યાં રડતા રડતા જ સુઈ ગયો હતો (સાહેબ પણ એમજ ખુશ હતા કદાચ :p). ગામડાઓમાં "ચૂટકી" કરી...

પરિસ્થિતિની વાસ્તવિકતા જાણ્યા વગર તારણ મનમાં બાંધવું એ મૂર્ખતા સમાન છે.

વર્તમાન સમયમાં સંપ્રેક્ષણોના બહોળા વિકાસ તેમજ  આપણા દેશમાં બોલવાની (અભિવ્યક્તિની) સ્વતંત્રતાને કારણે આજે એક વ્યક્તિની નાની અમસ્થિ ટિપ્પણી પણ લાખો અને કરોડો લોકો સુધી પહોંચે છે. મોટા ભાગે એવું જોવામાં આવ્યું છે કે મોટા ભાગના લોકો બસ બીજા દ્વારા બનાવવામાં આવેલા વાતાવરણમાં જ જેતે પરિસ્થિતિનું અંકલન કરી તારણ કાઢી લેતા હોઈ છે. આવું વાતાવરણ ઉભું કરવા વાળા ખુબ ઓછા લોકો છે અને આવા વાતાવરણ થી પ્રભાવિત થવા વાળા લોકો ખુબ વધારે છે. આ સમસ્યા સમાજ માટે ખુબ જ હાનિકારક સિદ્ધ થઇ રહી છે. જેમકે.. વર્તમાન સમયમાં પુરા ભારતમાં લઘુમતિ સમાજ કે જેવો વર્ષો થી ભારતમાં સલામતી થી રહે છે તેવો ને આચાનક અસુરક્ષા મહેસૂસ થવા લાગવી, દલિતો મહેસુસ કરવા લાગ્યા કે તેવો પર અત્યાચાર વધી રહ્યો છે, ધાર્મિક લોકોને લાગી રહ્યું છે કે ધર્મ વિરુદ્ધ કાર્ય વધવા લાગ્યા છે.  તો તેવો લોકો યે ખરેખર આત્મચિંતન કરવાની જરૂર છે - "શું આ મારા પોતાના વિચાર છે? કે પછી બીજાના બનાવતી વાતાવરણનો પ્રભાવ છે." વાસ્તવિક સ્થિતિ જાણવા માટે આપણે સૌએ સૌ પ્રથમ તો આ બનાવટી વાતાવરણ માંથી બહાર આવવું પડશે તોજ આપણે તેને સમજી સકીશું - એક પ્રયોગના ભ...

ચંદ્રમા માં પ્રમુખ સ્વામી મહારાજ ની પ્રતિમા સત્ય કે અસત્ય.?

આપણું ભારત એટલે આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભરપૂર અને વિજ્ઞાનની દ્રષ્ટિ યે મંગલ ગ્રહ સુધી પહોંચેલ દેશ. વિવિધતા માં એકતા - કેહેવાય છેને કે જંગલ કુદરતી જ સારા લાગે, જો એને માનવ સર્જિત બનાવવામાં આવે તો તેમાં માનવ માત્ર સારી વાતું જ રાખશે અને ખરાબ વસ્તુ ઉગાશે તો કાપી નાખશે પરિણામે તેનો કુદરતી રૂપનો આનંદ નહિ મળે. આવાજ એક કુદરતી આનંદનો અનુભવ મને આજે થયો. સાંજે વાળું ( ડિનર ) કરીને આરામ કરતો તો ત્યાં એટલામાં મારો ભત્રીજો વિશાલ પેસેજમાં ચાલતો ચાલતો આવ્યો અને કહ્યું. ચાંદમાં પ્રમુખ સ્વામી દેખાય છે. અને તરત મને તેના ફોનમાં સોશિયલ મીડિયા દ્વારા આવેલા ફોટો દેખાડી કહ્યું "કાકા, આ જુવો આ ફોટો મારા દોસ્તારે મને આ ફોટો મોકલ્યો અને મેં અગાસીમાં જઇને જોયું મને પ્રમુખ સ્વામીના દર્શન થયા." આ ફોટાને જોઈ ને મને લાગ્યું નક્કી આ કોઈ વ્યક્તિ કમ્પ્યુટર સોફ્ટવેરની મદદ વડે બનાવેલ છે. કારણ કે એ ફોટો જોઈને મને લાગ્યું કે આ ફોટો મેં કશે જોયો છે. વળી પાછું મને ફોટોશોપનું જ્ઞાન પણ ખરું. એટલે મને થયું આવો ફોટો તો કોઈ પણ સારો ફોટોશોપ જાણનાર વ્યક્તિ બનાવી શકે છે. મેં તે વિષય પર વધુ ધ્યાન ન આપતા વ...

શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ - પરમ પૂજ્ય સંત શ્રી પ્રમુખ સ્વામી.

આ આજના વ્યસ્તતમ જીવનમાં  આપણે જ્યાં આપણા પોતાના માટે સમય ન હોઈ અને કોઈ એવી વિભૂતિ વિષે વાત કરવા જઇયે કે જેમણે પોતાનું પૂર્ણ જીવન સમાજના ઉત્થાનમાં ખર્ચી નાખ્યું હોઈ તો એ વાત સમજી શકાય કે આ કલમ તેમના વ્યક્તિત્વને રજુ કરવા માટે ટૂંકી પડે. આજ રોજ સમાચાર મળ્યા સંતશ્રી પ્રમુખ સ્વામીજી મહારાજ અક્ષરવાસ સિધાર્યાં. શાંતિથી બેસીને જો આપણે આપણું જીવન અને બાપાનું જીવન જોઈએ તો જોઈશું કે આપણે હંમેશા કંઇક લેવા માટે જીવીએ છીયે જયારે બાપાનું જીવન બીજા ને કઈ આપવા માટે જીવ્યા. સદ્દગુરુ એક દિવાની સમાન હોઈ છે જેવો પોતાને સળગાવીને બીજાને પ્રકાશ આપે છે. શિષ્યને અંધકારમાં પોતાના આભાના પ્રકાશ થી માર્ગદર્શન કરે છે. આપણી કોઈ હેસિયત કે લાયકાત નથી આપણે કઈ બાપા માટે કરી શકીયે, હા જરૂર થી એમના દ્વારા આપવામાં આવેલા જ્ઞાન માર્ગદર્શનનું અનુસરણ જરૂર થી કરી શકીયે. આજે આ ઘડીએ આપણે સૌને રડતા, દુઃખી અને શોક જોઈ બાપા ક્યારેય ખુસ નહિ થઇ. બાપા આજે જયારે અક્ષરધામ વાસ થયા હોઈ અને જીવન ભર જયારે આ ક્ષણની રાહ જોતા હોય ત્યારે આજે આ ક્ષણને આપણે દુઃખની નહિ પણ સુખની આંખો ભીની કરી ને શ્રદ્ધા સુમન અર્પણ કરીયે. બાપા જરૂર ઇચ્છતા ...