પરિસ્થિતિની વાસ્તવિકતા જાણ્યા વગર તારણ મનમાં બાંધવું એ મૂર્ખતા સમાન છે.

વર્તમાન સમયમાં સંપ્રેક્ષણોના બહોળા વિકાસ તેમજ  આપણા દેશમાં બોલવાની (અભિવ્યક્તિની) સ્વતંત્રતાને કારણે આજે એક વ્યક્તિની નાની અમસ્થિ ટિપ્પણી પણ લાખો અને કરોડો લોકો સુધી પહોંચે છે.

મોટા ભાગે એવું જોવામાં આવ્યું છે કે મોટા ભાગના લોકો બસ બીજા દ્વારા બનાવવામાં આવેલા વાતાવરણમાં જ જેતે પરિસ્થિતિનું અંકલન કરી તારણ કાઢી લેતા હોઈ છે. આવું વાતાવરણ ઉભું કરવા વાળા ખુબ ઓછા લોકો છે અને આવા વાતાવરણ થી પ્રભાવિત થવા વાળા લોકો ખુબ વધારે છે. આ સમસ્યા સમાજ માટે ખુબ જ હાનિકારક સિદ્ધ થઇ રહી છે.

જેમકે.. વર્તમાન સમયમાં પુરા ભારતમાં લઘુમતિ સમાજ કે જેવો વર્ષો થી ભારતમાં સલામતી થી રહે છે તેવો ને આચાનક અસુરક્ષા મહેસૂસ થવા લાગવી, દલિતો મહેસુસ કરવા લાગ્યા કે તેવો પર અત્યાચાર વધી રહ્યો છે, ધાર્મિક લોકોને લાગી રહ્યું છે કે ધર્મ વિરુદ્ધ કાર્ય વધવા લાગ્યા છે.  તો તેવો લોકો યે ખરેખર આત્મચિંતન કરવાની જરૂર છે - "શું આ મારા પોતાના વિચાર છે? કે પછી બીજાના બનાવતી વાતાવરણનો પ્રભાવ છે."

વાસ્તવિક સ્થિતિ જાણવા માટે આપણે સૌએ સૌ પ્રથમ તો આ બનાવટી વાતાવરણ માંથી બહાર આવવું પડશે તોજ આપણે તેને સમજી સકીશું - એક પ્રયોગના ભાગ રૂપે પણે સૌ તેવી ચર્ચા કરતા લોકો થી દૂર રહીએ, ન્યૂઝ ચેનલ અને સમાચાર પાત્રો પર જો 15 દિવસ માટે ધ્યાન ન આપીએ તો વાસ્તવિકતાનો ખ્યાલ આપણને સૌને થઇ શકે.

જે વ્યક્તિ ને વાસ્તવિક પરિસ્થિતિ નો ખ્યાલ જ નથી તવો જાણતા કે અજાણતા આવા બનાવટી  વાતાવરણના પ્રભાવ માં ટિપ્પણી ઓ કરીને આવા વાતાવરણને પ્રસસ્થ થવામાં મદદ કરી રહ્યા છે. સમાજ માટે કઈ સારું ન કરી કરી શકીએ તો કઈ નહિ પરંતુ આપના હાથ દ્વારા સમાજનું અહિત તો ન જ  થવું જોઈએ. હા... સમાજ સુધારા માટે ટિપ્પણી ઓ કરવી જરૂરી છે પરંતુ તે વાસ્તવિકતાના પાયા પર હોવી જોઈએ.

આ દરેક સમસ્યાઓ વર્ષો થી ચાલતી આવી છે પરંતુ આજે સંપ્રેક્ષણના સાધનોના બહોળા વિકાસને કારણે દુનિયા નાની થઇ ગઈ છે. આવા સમયે સોશિયલ મીડિયાનો નકારાત્મક ઉપયોગ કરવા વાળા વધારે અને સકારાત્મક ઉપયોગ કરવા વાળા ખુબ ઓછા લોકો છે. સકારાત્મક ઉપયોગ સમાજ ઉત્થાન ને એક નવી દિશા આપી શકે. 

Comments

Popular posts from this blog

શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ - પરમ પૂજ્ય સંત શ્રી પ્રમુખ સ્વામી.

List of Characteristics of Peaceful Family.