પરિસ્થિતિની વાસ્તવિકતા જાણ્યા વગર તારણ મનમાં બાંધવું એ મૂર્ખતા સમાન છે.
વર્તમાન સમયમાં સંપ્રેક્ષણોના બહોળા વિકાસ તેમજ આપણા દેશમાં બોલવાની (અભિવ્યક્તિની) સ્વતંત્રતાને કારણે આજે એક વ્યક્તિની નાની અમસ્થિ ટિપ્પણી પણ લાખો અને કરોડો લોકો સુધી પહોંચે છે. મોટા ભાગે એવું જોવામાં આવ્યું છે કે મોટા ભાગના લોકો બસ બીજા દ્વારા બનાવવામાં આવેલા વાતાવરણમાં જ જેતે પરિસ્થિતિનું અંકલન કરી તારણ કાઢી લેતા હોઈ છે. આવું વાતાવરણ ઉભું કરવા વાળા ખુબ ઓછા લોકો છે અને આવા વાતાવરણ થી પ્રભાવિત થવા વાળા લોકો ખુબ વધારે છે. આ સમસ્યા સમાજ માટે ખુબ જ હાનિકારક સિદ્ધ થઇ રહી છે. જેમકે.. વર્તમાન સમયમાં પુરા ભારતમાં લઘુમતિ સમાજ કે જેવો વર્ષો થી ભારતમાં સલામતી થી રહે છે તેવો ને આચાનક અસુરક્ષા મહેસૂસ થવા લાગવી, દલિતો મહેસુસ કરવા લાગ્યા કે તેવો પર અત્યાચાર વધી રહ્યો છે, ધાર્મિક લોકોને લાગી રહ્યું છે કે ધર્મ વિરુદ્ધ કાર્ય વધવા લાગ્યા છે. તો તેવો લોકો યે ખરેખર આત્મચિંતન કરવાની જરૂર છે - "શું આ મારા પોતાના વિચાર છે? કે પછી બીજાના બનાવતી વાતાવરણનો પ્રભાવ છે." વાસ્તવિક સ્થિતિ જાણવા માટે આપણે સૌએ સૌ પ્રથમ તો આ બનાવટી વાતાવરણ માંથી બહાર આવવું પડશે તોજ આપણે તેને સમજી સકીશું - એક પ્રયોગના ભ...